KANJODA.

* કંજોડા ગામમાં ગણા વષો પહેલા ઉપજીભાઈ પાટીદાર નામના વ્યક્તિએ અહીં આવી સ્થાઇ થઇ વસવાટ કર્યો અને તેમની પેઢી આગળ વધારી. અત્યારે તેમના વંશજો ગામમાં સ્થાઈ રહીને તેમની આશાઓ ને આગળ વધારે છે . * કંજોડા ગામ આશરે 4000 થી 5000 ની વસ્તી ધરાવતું ગામ છે. જેમાં પટેલ સમાજના ગણા બધા લોકો નોકરી-ધંધા અર્થે વિદેશમાં રહે છે . * કંજોડા ગામના પૂર્વજોએ બનાવેલ અંબાજીમાતા મંદિર , હનુમાનદાદા મંદિર , શંકરભગવાન મંદિર , રામજી મંદિર , કાલિકામાતા મંદિર બનાવી ભક્તિમય સ્થાન દ્વારા ગામની શોભા વધારેલ છે . ગામની વચ્ચે બનાવેલ ચબુતરી અને ટાવર આકર્ષણનું કેન્દ્ર છે . અને બાલમંદિર , પ્રાથમિકશાળા , હાઈસ્કૂલ ના માધ્યમથી ગામના દીકરા-દીકરીઓ ને જ્ઞાન અર્પણ કરી આગળ વધારે છે . * કંજોડા ગામમાં લગ્નપ્રસંગ તથા અન્ય શુભપ્રસંગ માટે સુંદર મોટી "પટેલ સમાજ વાડી" બનાવેલ છે. જેની સ્થાપના વર્ષ 1995 માં થયેલ છે . જેના વાડીના ભુમિદાતાશ્રીઓ :- સ્વ. અંબાલાલ બાબરભાઈ પટેલ , સ્વ. છોટાભાઈ સોમાભાઈ પટેલ , અંબાલાલ વલ્લભભાઈ પટેલ છે . વાડીના બાંધકામના મોટા દાતાશ્રીઓ :- ઈશ્વરભાઈ જીભાઈભાઈ પટેલ ના સુપુત્રો , લીગ્ના લી. મોમ્બાસા (કેન્યા) ના રમણભાઈ તળસીભાઈ પટેલ , સ્વ. ચંદુભાઈ અંબાલાલ પટેલ , ધીરેન્દ્રભાઈ અવચળભાઈ પટેલ . સ્વ. અંબાલાલ છોટાભાઈ પટેલ પરિવાર , સ્વ. અવચળભાઈ નાથાભાઈ પટેલ પરિવાર , સ્વ. અંબાલાલ વલ્લભભાઈ પટેલ પરિવાર તરફથી વાડીના બાંધકામ માટે મોટું દાન મળેલ છે. ઉપરાંત ગામમાં અને વિદેશમાં રહેતા દરેક પરિવાર તરફથી અમૂલ્ય દાન એકત્રિત કરી "પટેલ સમાજ વાડી કંજોડા" ની પટેલ સમાજ તરફથી વ્યવસ્થા કરેલ છે . * વડીલોના આશીર્વાદથી અને યુવા ભાઈ-બહેનોના સહકારથી ગામની શોભા-તરક્કી આગળ વધતી રહે તેવી શુભેછા . 🙏

read more

ROON.

રૂણ ગામ નો ઈતિહાસ..... . વાત છે સંવત 1505 ચંપકવન માં ભાભારામ નામે એક મહામુનિ થયા અને જેમની સાથે ધર્મના બેન એવા કીકીબાઈ પણ તેમની સાથે તપસ્યામાં જોડાયેલા હતા, 24 વર્ષ તપસ્યા બાદ ભાભારામ જ્યારે દેહ વિલય થયો, ત્યારે તેમના શબ્દો કીકી બાય માટે હતા કે હું નથી પણ એક ભાઈ જો બેન ને કંઈ ના આપે તો એ રૂ ણમાં રહે એટલા માટે તમારે કીકીબાય આ રૂણ જ રહેવાનું છે, એ શબ્દોના આધારે ચંપક વનમાંથી રૂણ નામ પડ્યું. ત્યારથી રૂણ ની અંદર મુખ્ય વસવાટ કરતી જ્ઞાતિ પટેલ,પ્રજાપતિ, શર્મા ને ક્ષત્રિય વગેરે વગેરે નો વસવાટ છે. એ સમય પછી આજ દિન સુધી ગામની અંદર સંત ભાભારામ મંદિર જેમાં ભૂખ્યાને ભોજન- રહેવા-જમવા ની વ્યવસ્થા, ભાભારામ કન્યા છાત્રાલય,ધોરણ 9 થી 12 સુધી કન્યાઓ માટે ઉચ્ચ શિક્ષણ વિશ્વ જ્યોત ટ્રસ્ટ નામની સંસ્થા, રૂણ પ્રાથમિક શાળા, સંત ભાભારામ ક્લિનિક,હીરાબા વૃદ્ધાશ્રમ. જે ગામના ખૂબસૂરત સ્થળો છે. વિશ્વ જ્યોત ટ્રસ્ટ રૂમ સ્થાપના ૧૯૮૦ હીરાબા વૃદ્ધાશ્રમ સ્થાપના ૨૦૨૧, ભાભારામ કન્યા છાત્રાલય સ્થાપના ૧૯૮૨

read more

VADTAL.

વડતાલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલાં ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલું ગામ છે. અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનુ મોટું પવિત્ર ધામ છે.આ ગામમા નવ શિખરનુ મંદિર છે. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ નામની પોતાની મૂર્તિ પધરાવી છે. દુનિયામાં આ પ્રથમ ઘટના છે કે જેમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ પોતાની જાતે પધરાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરુપ શિક્ષાપત્રીની રચના સ્વામિનારાયણ ભગવાને આ મંદિરમાં કરી હતી.

read more